વર્લ્ડ અસ્થમા ડેઃ WHO દ્વારા વર્લ્ડ અસ્થમા ડે તેના થીમ ‘ઈટ્સ ટાઈમ ટુ કંટ્રોલ યોર અસ્થમા’ સાથે મનાવાયો
35 દેશોનાં હેલ્થકેર કર્મચારીઓ દ્વારા આયોજિત વર્લ્ડ અસ્થમા ડેનું લક્ષ લોકોને એ જાણકારી આપવાનું છે કે આ રોગની સારવાર માટે સૌથી અસરકારક માર્ગો અંગે શું સંશોધનો થયા છે.
અસ્થમા એ ક્રોનિક ઈન્ફ્લેમેટરી રોગ છે જે કફ, ઉધરસ અને સતત શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો ધરાવે છે. આ સમસ્યા માત્ર વિકસિત દેશોમાં જ નહીં પણ વિકાસશીલ દેશોમાં પણ જોવા મળે છે. કફ, ઉધરસના સતત ગંભીર રીતે થતા હુમલા વખતે તાત્કાલિક મેડિકલ સારવાર આવશ્યક બને છે જેના વિના તે ક્યારેક ઘાતક બની શકે છે. 300 મિલિયન વ્યક્તિઓ વિશ્વભરમાં અસ્થમાથી પીડાય છે, તેમાંથી દસમા ભાગના લોકો ભારતમાં વસે છે. અસ્થમાનો ફેલાવો બાળકોમાં 3-38 % અને પુખ્તોમાં 2-12% જેટલો અંદાજે જોવા મળે છે અને આ ફેલાવામાં 50%નો વધારો થયો છે. દરેક દશકામાં વિશ્વભરમાં અસ્થમાના કારણે દર વર્ષે 180000 લોકોનાં મોત થાય છે. જો કે 1980થી સમગ્રપણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.
અસ્થમા રોજિંદી પ્રવૃતિઓ મર્યાદિત કરી દે છે, સ્કૂલ કે કામકાજ પર જવામાં મુશ્કેલી, ફેફસાંની કામગીરીમાં વિક્ષેપ, જીવનધોરણની ગુણવત્તામાં ઘટાડો અને સામાજિક આર્થિક બોજમાં વધારો તેના કારણે થાય છે.
એલર્જી અને અસ્થમાને હાલના દિવસોમાં વન એરવે વન ડિસીસીસ કહે છે. જો તમને વારંવાર શરદી, છીંક, નાકમાંથી પાણી નીકળવું જેવી સમસ્યા થતી હોય તો તેને અવગણવી ન જોઈએ. તે અસ્થમાનું પ્રથમ લક્ષણ હોય શકે છે. વ્યક્તિએ નીચલા એરવેની તપાસ કરાવવી જોઈએ તેમજ એ રીતે એલર્જીને અવગણવાથી તમારા ફેફસાંને નુકસાન પણ થઈ શકે છે. જ્યારે અસ્થમાનો પ્રકોપ વધે છે ત્યારે શ્વાસ લેવાનું વધુ મુશ્કેલ બનવા લાગે છે કે કેટલાક લોકો કે જેમને ગંભીર અસ્થમા છે તેઓને મોટાભાગે શ્વસનમાં સમસ્યા રહે છે.
અસ્થમાના સામાન્ય લક્ષણો છેઃ
- વ્હીઝીંગ (શ્વાસ લેતી વખતે સીટી વાગતી હોય એવો અવાજ)
- શ્વાસ ન લઈ શકવો.
- છાતી ભીંસાતી હોય એવું લાગે – કફના કારણે છાતી ફરતે બેન્ડ હોય એવું લાગે
- ખાસી આવ વી
અનેક ચીજો છે કે જેના કારણે આ લક્ષણો જોવા મળે છે પણ તે મોટાભાગે અસ્થમાના જ લક્ષણો હોઈ શકે, જ્યારે નીચેની બાબતો થતી જણાય :-
રૂતુ અનુસાર લક્ષણો આવે ને જાય, રાત્રે સ્થિતિ વધુ ખરાબ થાય અથવા તો વહેલી સવારે વધુ અસર જોવા મળે.
અસ્થમાને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે જેમકે બાળપણમાં અસ્થમા, લાંબા સમય બાદ શરૂ થયેલો અસ્થમા, દવાના કારણે અસ્થમા અને પ્રસૂતિ વખતે અસ્થમા તેમાં સામેલ છે.
ગેસ્ટ્રો એસોફેગલ રિફ્લક્સ, ઓક્યુપેશનલ પરિબળો, વધુ પડતી લાગણીશીલતા, માનસિક તણાવ, સ્થૂળતા, વારંવાર શરદી થવી વગેરે આ રોગના ઉત્તેજીલ પરીબળો છે.
અસ્થમાની અસર તેને ઉત્તેજિત કરતા પરિબળો જેમકે કસરત કે એલર્જી (પરાગરજ કે પ્રાણીના ફર)થી પણ વધી શકે છે.
નીચેના પરિબળો ની અસરથી અસ્થમાની સ્થિતિ સર્જ વાની શક્યતાઓ વધી જાય છે:-
- ચેપ , મોટા ભાગે વાયરસ ના લીધે થતી તકલીફો(જેમકે:કોલ્ડ ,ફ્લૂ)
- એલર્જનસ :સહુ થી વધુ પ્રમાણમા ઘરની રજમા રહેલી જીવાત , પાલતુ પશુઓ અથ વા,પરાગરજ .
- કસરત , ખાસ કરીને ઠંડા વાતાવરણમા
- લાગણીનો આવેગ જેમકે: ઉત્તેજના, ડર અથ વા ક્રોધ
- હ વાનુ પ્રદુષણ જેવા ઉત્તેજક તત્વો
અપોલો હોસ્પિટલના ફેફસાના રોગોના અને ઊંઘ સંબંધિત શ્વસન સમસ્યાઓના સ્પેશિયાલિસ્ટ, સિનિયર કન્સલ્ટન્ટ, પલ્મોનોલોજિસ્ટ ડો. કાશ્મિરા ઝાલાના મતે દરેક વ્યક્તિએ સ્વસ્થ ફેફસાં માટે નીચેની ખાસ સલાહને અનુસરવું જોઈએ જેથી અસ્થમાને અંકુશમાં રાખી શકાય.
- ઊંડા શ્વાસ લેવાની કસરત કરો (પ્રાણાયમ અને યોગ દરરોજ કરો)
- નિયમિત કસરત કરો અને સ્વસ્થ વજન જાળવી રાખો (એરોબિક કસરતો ફેફસાં માટે સારી છે)
- ધુમ્રપાનથી દૂર રહો
- તમારા ફેફસાંને હાનિ પહોંચાડે એવા પ્રદૂષકોથી દૂર રહો.
- ચેપથી દૂર રહો અને ભીડથી દૂર રહો જ્યારે શરદી અને ફ્લુની સ્થિતિ હોય.
- તમારા અસ્થમાને અંકુશમાં લેવા માટે શ્વાસથી લેવાની દવા લો અને ટ્રીગર ફેક્ટરને દૂર રાખો.
- અસ્થમા ડાયરી રાખો
- દર વર્ષે ઈન્ફ્લુએન્ઝા માટેની રસી લો -તમે જો 60 વર્ષ કે તેથી વધુ વયના હો, સ્મોકર હો, ડાયાબિટીક હો કે ઈમ્યુન હો, તો ન્યુમોનિયાની રસી લેવી જોઈએ.
- માત્ર ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અસ્થમાના નિદાન માટે છે જે પલ્મોનરી ફંકશન ટેસ્ટ કે સ્પાઈરોમેટરી અને બ્રોન્કોડાઈલેટર રિવર્સિબિટી કરવામાં આવશે. અમે રોગનું માત્ર નિદાન જ કરતા નથી પણ તેનું સ્તર, ડોઝ અને અસ્થમાની સારવાર પણ નક્કી કરીએ છીએ. આ ટેસ્ટ રોગના મોનિટરીંગમાં પણ ઉપયોગી થશે.
ઘરે આપણે આપણા અસ્થમાને PEFR (પીક એક્સ્પાઈરેશન ફ્લો રેટ) માપીને મોનિટર કરી શકાય છે જે સ્મોલ હેન્ડી મશીનમાં જોરથી ફૂક મારીને માપી શકાય છે. આમ આપણે દરરોજ મોનિટર કરવાનું રહે છે અને ડાયરીમાં નોંધ રાખ વી પડે છે અને તેથી તમે ખુદની વધુ સારી રીતે ચકાસણી કરી શકો છો. જો આગામી ૨૪ કલાક મા એકાએક નોંધપાત્ર રીતના પરિક્ષણ મા વધઘટ થતી જણાય તો તમને અસ્થમા નો અક્યુટ એટેક થ વાનો છે, તેવુ અનુમાન લગાવી શકાય .તેથી તમે તેને વહેલાસર નિદાન કરાવીને તેના હુમલાને ટાળી શકો છો.
ડો. કાશ્મિરા ઝાલા દ્વારા જણાવેલ છે કે, ‘આ રોગ વિશે અનેક માન્યતાઓ જોડાયેલી છે અને શ્વસનથી લેવાતી દવાઓ વિશે પણ માન્યતાઓ છે. ઈનહેલરનો યોગ્ય રીતે ઉપયોગ અને તેના વિશેની જાગૃતિ અને જાણકારી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.જો વહેલાસર નિદાન કરી શકાય અને તેની યોગ્ય રીતે સારવાર થઇ શકે તો આ રોગને અંકુશિત કરી શકાય છે.
આથી એ મહત્ત્વનું છે કે દર્દીના રોગના લક્ષણો વધુ વકરે તે ઓળખી લેવામાં આવે અને તેના માટે અગાઉથી જ સાવધાનીના પગલાં લેવામાં આવે. દર્દીઓએ તેમની સ્થિતિ વિશે જણાવતું અને અન્યને માહિતી આપતું એવું કાર્ડ હંમેશા સાથે રાખવું જોઈએ કે જેથી ગંભીર અસ્થમાના હુમલા વખતે શું કરવું તે અન્યોને ખ્યાલ આવે.
Dr. kashmira Jhala
MBBS, M.D.[Chest Medicine] DTCD
Department:
Pulmonology, Bronchoscopy,& Sleep Medicine